Ambani family in Salangpur Botad Gujarat

મુકેશ અને અનંત અંબાણી કષ્ટભંજનદેવ હનુમાનજીના દર્શને

સ્થાનિક ભક્તો તથા સાળંગપુર–બોટાદ વિસ્તારના રહેવાસીઓમાં દેશના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિના આગમન અંગે ગૌરવ અને આનંદની લાગણીઓ જોવા મળી. ઘણા ભક્તોએ જણાવ્યું કે મોટા ઉદ્યોગપતિ અને જાણીતા પરિવાર દ્વારા પણ આ ધામમાં આવીને આશીર્વાદ લેવાં એ સામાન્ય લોકો માટે પણ આસ્થા અને સંદેશનો વિષય છે.

બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે આવેલું વિશ્વવિખ્યાત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે, કારણ કે અહીં દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પુત્ર અનંત અંબાણી ભાવપૂર્વક દર્શનાર્થે પધાર્યા હતા. માહિતી મુજબ, અંબાણી પરિવારના આગમનને ધ્યાને લેતાં મંદિર ટ્રસ્ટ તથા સ્થાનિક પ્રશાસન દ્વારા સુરક્ષાની કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. મુલાકાત દરમિયાન ભક્તોને અનુક્રમથી દર્શન કરાવી શકાય તે માટે વિશેષ બંદોબસ્ત પણ કરવામાં આવ્યો હતો જેથી કોઈ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય.

મુકેશ અંબાણી અને અનંત અંબાણીએ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીના ચરણોમાં નમન કરી વિશેષ પૂજા–અર્ચના કરી અને પરિવાર તથા દેશના કલ્યાણ માટે પ્રાર્થના કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. સાળંગપુર હનુમાનજી પર અંબાણી પરિવારની આ ગાઢ આસ્થા અગાઉ પણ અનેક પ્રસંગોએ જોવા મળી ચૂકી છે, જે હવે ફરી એક વખત ચર્ચાનો વિષય છે. સ્થાનિક ભક્તો તથા સાળંગપુર–બોટાદ વિસ્તારના રહેવાસીઓમાં દેશના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિના આગમન અંગે ગૌરવ અને આનંદની લાગણીઓ જોવા મળી. ઘણા ભક્તોએ જણાવ્યું કે મોટા ઉદ્યોગપતિ અને જાણીતા પરિવાર દ્વારા પણ આ ધામમાં આવીને આશીર્વાદ લેવાં એ સામાન્ય લોકો માટે પણ આસ્થા અને સંદેશનો વિષય છે.

#બોટાદ #Botadnews #botad – Botad Latest news 

By Ravi